પંચમહાલના ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરાશે - ખેડૂત ખાતેદારોને કિસાન ક્રેડીટ કાર્ડનો લાભ મળશે
પંચમહાલ: જિલ્લાના કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવનારા તમામ ખેડૂત ખાતેદારોને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) આપવાનો જિલ્લાના વહીવટી તંત્રએ નિર્ણય કર્યો હતો. આ બાબતે એક જિલ્લા કલેકટરની આગેવાનીમાં એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નવા નિર્દેશો અનુસાર પશુપાલકો અને માછીમારોને પણ KCCનો લાભ મળવા પાત્ર થશે.