બાળકોના મોત મામલે શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા કહ્યું- 'જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે'
અમદાવાદઃ રાજસ્થાનની સરકારી હૉસ્પિટલમાં શિશુઓનો મૃત્યુઆંક સામે આવ્યાં બાદ વિવિધ રાજ્યોમાંથી શિશુઓના મૃત્યુદરના ચોંકાવનાર આંકડા સામે આવી રહ્યાં છે. જેની માટે તંત્રને જવાબદાર ઠેરવતા રાજકારણ ગરમાયું છે. ત્યારે આ અંગે વાત કરતાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે વિરોધ પક્ષના નેતાને આડે હાથ લીધા હતાં અને જણાવ્યું હતું કે, "બાળકોના મોત થઈ રહ્યા છે. ત્યારે નેતાઓ પોતાના રાજકીય રોટલા શેકી રહ્યાં છે."
Last Updated : Jan 5, 2020, 9:49 PM IST