ગાંધીનગરઃ હાલ દક્ષિણ ગુજરાત પર નિસર્ગ નામના વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે સુરત, ભરૂચ, વલસાદ અને દમણ જેવા દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે NDRFની ટીમો સુરક્ષાના ભાગરૂપે તૈનાત કરવામાં આવી છે. આ બાબતે NDRFના ચીફ રણવિજય સિંહ સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત કરી હતી.