દાહોદના વાસિયા ગામે અવકાશી વીજળી પડતા એક વ્યક્તિનું મોત
દાહોદ : જિલ્લાના વાસિયા ગામે રાત્રી દરમિયાન ઘર આગળ ઊંઘી રહેલા વ્યક્તિ પર ઘડાકાભેર અવકાશી વીજળી પડતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમજ આસપાસના લોકો જાગી જતા ગંભીર રીતે ઘાયલ ઈશ્વરભાઈને સંજેલી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.