ધોરાજીના ખેડૂતને પોષણક્ષમ ભાવો ન મળતાં ડુંગળી પશુઓને ખવડાવી - corona effect on farmers
રાજકોટઃ ધોરાજી ખેડૂતે દસ વીઘામાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ખેડૂતે ડુંગળીના વાવેતરમાં 1 વિધે આશરે 20થી 25 હજારનો ખર્ચ કરે છે. તેમની સામે ડુંગળીના વેપારીઓ મણના 20થી 25 રૂપિયામાં માગે છે. આવા સંજોગોના કારણે ડુંગળીનો પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતો પોતાની દસ વીઘામાં વાવેલી ડુંગળી પશુઓને ચરવા આપી દીધી હતી.