શરદપુર્ણિમા નિમિત્તે શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા - latest news in Shamlaji Temple
અરવલ્લી: પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં શરદ પૂર્ણિમાનો અનેરો મહિમા છે. ત્યારે શનિવારે વહેલી સવારથી શરદપુર્ણિમા નિમિત્તે ભકતોએ દર્શનનો લાભ લીધો હતો. શરદ પુર્ણિમા નિમેતે સવારે મંદિર ખુલ્યા બાદ મંગળા આરતી અને ત્યારબાદ શણગાર આરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત મંદિર પ્રશાસન દ્વારા સરકારી ગાઈડ લાઈન અનુસાર શ્રદ્ધાળુઓ માટે સેનેટાઈઝર, માસ્કની સુવિધા ઉપલબદ્ધ કરાવવાની સાથે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરાવવા ભારે જહેમત આદરી હતી.