તૌકતે વાવઝોડાને લઈને સુરત જિલ્લાના દરિયામાં જોવા મળ્યો કરંટ - અરબ સાગર
સુરત જિલ્લામાં સંભવિત તૌકતે વાવાઝોડાની અસર આજરોજ રવિવારે બપોર પછી શરૂ થઈ હતી. હમેશા શાંત રહેતો ઓલપાડના દભારી ખાતે આવેલા દરિયામાં વાવઝોડાની અસર જોવા મળી હતી. દરિયામાં વાવઝોડાના કરંટને કારણે ઉંચા મોઝા ઉછળી રહ્યા છે. ત્યારે, વાવઝોડાની અસરને લઈને સુરત જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ થયું છે. વહીવટી તંત્ર દ્વારા દરિયાઈ પટ્ટી પર આવેલા ગામડાઓમાં જઈને કાચા ઘરમાં રહેતા લોકોનું સ્થળાતર કરવામાં આવ્યું છે.