રાજકોટ : વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરમાં રાત્રીના 9 કલાકથી સવારના 6 કલાક સુધી કરફ્યૂ લાગવવામાં આવ્યો છે. જોકે, મેડિકલ, દૂધ, પેટ્રોલ પંપ, CNG પંપ, વીજ ઉત્પાદ સહિતની સેવાઓ ચાલુ રહેશે. જો કોઈ વ્યક્તિ જાહેરાનામાંનો ભંગ કરશે તો તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરાશે. કોરોના સંક્રમણને કારણે રાજકોટ જિલ્લામાં આવેલું જલારામ મંદિર અને અન્નક્ષેત્ર આગામી સોમવારથી બન્ને બંધ કરવાનો નિર્ણય ગાદીપતિ રઘુરામબાપા દ્વારા લેવામાં આવ્યો છે.
Last Updated : Nov 21, 2020, 10:36 AM IST