જામનગર બેઠક પર કડક બંદોબસ્ત વચ્ચે મતગણતરી કરાશે
જામનગરઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ 23 મેના રોજ મતગણતરીની જાહેરાત કરવામાં આવી હતી. લોકસભાના 7 તબક્કાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે, ત્યારે આવતીકાલે 23મી મેના રોજ ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર મતગણતરી કરવામાં આવશે. આવતીકાલે ગુજરાતની 26 લોકસભા બેઠક અને 4 વિધાનસભા બેઠકની મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતની જામનગર લોકસભા બેઠક પર કડક બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવશે.