ગુજરાત

gujarat

By

Published : Oct 19, 2019, 3:17 PM IST

ETV Bharat / videos

સાબરકાંઠામાં BSNL ટાવર પણ મંદીની ઝપેટમાં, 15 ટાવરના વીજ કનેક્શન કટ

સાબરકાંઠાઃ હિંમતનગર વિસ્તારમાં BSNL ટાવરના વીજ કનેક્શન ન ભરવાને પગલે ૧૫થી વધુ ટાવરના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. જેના કારણે દુરસંચાર વ્યવસ્થા સંપૂર્ણ પણે કપાઈ ચૂકી છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક અધિકારીઓ તેમજ UGVCL વચ્ચે બેઠકોનો દોર યથાવત્ રહેવા છતાં કોઈપણ પ્રકારનો નિકાલ ન આવતા આખરે 15થી વધારે ટાવરના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતાં. એક તરફ દૂરસંચાર વિભાગ દ્વારા વારંવાર રજૂઆત અને બીજી તરફ વીજ અધિકારીઓ સાથેની બેઠકમાં કોઇ નિરાકરણ ન આવતા છેલ્લો નિર્ણય લેવાયો હતો. હાલમાં 15થી વધારે વીજ કનેક્શનના લાખો રૂપિયા ન ભરાવાને પગલે નેટવર્ક બંધ થયુ હતું. જોકે આ નિર્ણયનું વહેલી તકે નિરાકરણ આવે તેમજ લોકોને ફરીથી ટાવર થકી મોબાઇલમાં સિગ્નલ મેળવી વાતચીત કરતા ક્યારે થશે તે તો આવનારો સમય જ બતાવશે.

ABOUT THE AUTHOR

...view details