સુરેન્દ્રનગરના દાણાવાડા ગામે સૌની યોજનાની પાણીની લાઈનમા ભંગાણ, હજારો લીટર પાણીનો વેડફાટ - લોકોમાં રોષ
સુરેન્દ્રનગરઃ જિલ્લાના મુળી તાલુકાના દાણાવાડા ગામ પાસે પાણીની પાઇપ લાઇનનો વાલ્વમાં ખામી સર્જાતા અંદાજે 40-50 ફુટથી ઊંચા પાણીના ફૂંવારા ઉડ્યા હતા. આ ભંગાણને કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાનની આશંકાઓ સેવાઈ રહી છે. નર્મદા વિભાગની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને લોકોએ નર્મદા વિભાગને આ પાણીની લાઈનમાં ભંગાણ તાત્કાલિક રીપેર કરવા જાણ કરી હતી.