ગુજરાત

gujarat

By

Published : Sep 4, 2020, 4:56 PM IST

ETV Bharat / videos

અરવલ્લીમાં કોરોના દર્દીઓનો આંક 413 પર પહોંચ્યો

અરવલ્લીઃ જિલ્લામાં વધુ સાત કોરોના પોઝિટિવ કેસ મળી આવતા દર્દીઓનો કુલ આંક 413 થયો છે. જે પૈકી પૈકી 317 દર્દીઓની સારવાર પૂર્ણ થતા તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ગુરૂવારે નોંધાયેલ સાત કેસમાં મોડાસા નગરના ત્રણ, માલપુર તાલુકાના 2, ધનસુરા નગરના એક તેમજ બાયડ નગરના એક દર્દીનો સમાવેશ થાય છે. કોરોનાના કેસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ નોંધાઈ રહ્યા છે. ત્યારે આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. બીજી બાજુ લોકોમાં હવે કોરોનાનો ભય ઓસરી રહ્યો હોય તેમ જાહેર સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details