નડિયાદમાં શીખ ધર્મના અનુયાયીઓ દ્વારા પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી - A grand celebration of the festival was celebrated by the followers of Sikhism in Nadiad
નડિયાદ : શીખ ધર્મના સંત ગુરુ નાનક સાહેબની 550મી જન્મજ્યંતિની ઉજવણી નિમિત્તે પ્રકાશ પર્વની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે શહેરના મિશનરોડ સ્થિત ગુરુદ્વારાથી ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નગરયાત્રા શહેરમાં વિવિધ માર્ગો પર ફરીને પરત ગુરુદ્વારા પહોંચી હતી. શહેરમાં નગરયાત્રાનું ઠેરઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રા દરમ્યાન શીખ સમાજના લોકો દ્વારા તલવારબાજી લાઠીદાવના વિવિધ કરતબો કરવામાં આવ્યા હતા.