Somnath Mahadev : સોમનાથ મહાદેવને કરાયો ભસ્મનો શૃંગાર, શિવ ભક્તોએ કર્યા મહાદેવના ઔલોકિક દર્શન - auspicious darshan of Mahadev
Published : Aug 30, 2023, 6:45 AM IST
સોમનાથ :સમગ્ર દેશભરમાં શ્રાવણ મહિનાની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સોમનાથ મહાદેવને આજે ભસ્મના શણગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા. મહાદેવને ભસ્મ અતિપ્રિય હોવાને કારણે પણ આજનો શૃંગાર ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. મહાદેવને સ્મશાનના દેવ તરીકે પણ પૂજવામાં આવે છે. ત્યારે મહાદેવે તેમના શરીર પર ભસ્મને ધારણ કરી હતી. ત્યારથી મહાદેવને ભસ્મના શણગારનું પણ ખૂબ ધાર્મિક મહત્વ છે. ત્યારે આજે સોમનાથ ખાતે મહાદેવના દર્શન કરવા માટે આવતા શિવ ભક્તોએ મહાદેવને પ્રિય એવા ભસ્મના શણગારના દર્શન કરીને ભારે ધન્યતા પ્રાપ્ત કરી હતી.