IAF Aircraft Crash: કર્ણાટકના ચામરાજનગરમાં ભારતીય વાયુસેનાનું ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ, બંને પાઈલટ સુરક્ષિત - ભારતીય વાયુસેનાનું ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ
ચામરાજનગરઃ ભારતીય વાયુસેનાનું ટ્રેનિંગ એરક્રાફ્ટ ચામરાજનગર જિલ્લાના ભોગાપુર ગામ પાસે ક્રેશ થયું હતું. તે એક પ્રશિક્ષણ વિમાન છે. ફ્લાઈટ દરમિયાન પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેટમાં સવાર બે પાઇલોટ્સ પેરાશૂટનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક બહાર નીકળી ગયા હતા અને સલામત રીતે લેન્ડ થયા હોવાના અહેવાલ છે. આ સમયે કોઈ જાનહાનિના અહેવાલ નથી.
કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ:બે પાઇલોટ ક્રેશ સ્થળથી 2 કિમી દૂર મળી આવ્યા હતા. બંને પાયલટને એરફોર્સે શોધીને બચાવી લીધા હતા અને ખાસ હેલિકોપ્ટરમાં બેંગ્લોર લાવવામાં આવ્યા હતા. બંનેને ગળાના ભાગે સામાન્ય ઈજા થઈ છે. IAFએ એક ટ્વિટમાં કહ્યું કે અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.