ભાજપનના કમલમમાં વિભિષિકા સ્મારક દિવસના સન્માનમાં સ્વતંત્રીય સેનાનીઓને અર્પણ કરી શ્રદ્ધાંજલિ - હર ઘર તિરંગા અભિયાન
અમદાવાદ સમગ્ર દેશમાં 13થી 15 ઓગસ્ટ હર ઘર તિરંગા અભિયાન Har Ghar Tiranga Campaign ચલાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવા પ્રમાણે, ભાગલાએ લોકોને નફરત અને હિંસાથી ઘેરી લીધા હતા. પરિણામે અમારા ઘણા દેશબંધુઓએ ભાગી જવાની ફરજ પાડી હતી. તેમાંથી કેટલાક મૃત્યુ પણ પામ્યા હતા. PM મોદીના જણાવ્યા અનુસાર, સામાજિક વિભાજન અને દુશ્મનાવટના ઝેરને બહાર કાઢવા અને સામાજિક શાંતિ, એકતા અને માનવ સશક્તિકરણની ભાવનાને વધુ મજબૂત કરવા માટે પાર્ટીશન વિભિષિકા સ્મારક દિવસ મનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 14 ઓગસ્ટના દિવસે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઘોષણા કરી હતી. જેના ભાગરૂપે ગાંધીનગરમાં ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમમાં આજરોજ ભારત પાકિસ્તાનના વિભાજનથી થયેલા ધર્મના નામે અનેક હિંસા થઈ છે. આ હિંસામાં લાખો લોકોના મૃત્યુ થયા છે. તેમજ કરોડો લોકો બેઘર થયા છે. આવતીકાલે એટલે કે 14 ઓગસ્ટ 2022ના દિવસે વિભીષિકા સ્મૃતિ દિવસ Vibhishika Memorial Day નિમિતે આજે પ્રદર્શિત રૂપે CR પાટીલે કમલમ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આ દિવસે શહિદ થયેલા તેમજ બે ધર થયેલા લોકોને શ્રદ્ધાંજલિ Tribute to Freedom Fighters આપીને વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ભાજપના પ્રદેશ કાર્યાલયમાં કાર્યકર્તા BJP Kamalam Pays Tribute સાથે મનાવવામાં આવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST