કાર બોટમાંથી પલટી, ભાગીરથી નદીમાં પડતા ત્રણના મોત - undefined
Published : Nov 30, 2023, 7:02 PM IST
પશ્ચિમ બંગાળ: મુર્શિદાબાદના લાલબાગમાં સદરઘાટ ખાતે ગુરુવારે સવારે 9 વાગ્યે એક કાર ભાગીરથી નદીમાં પડી હતી, જેના પરિણામે ત્રણ લોકોના મોત થયા હતા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક કાર બોટ દ્વારા લઈ જવામાં આવી રહી હતી. કારમાં ડ્રાઈવર સહિત 7 લોકો સવાર હતા. જેમાંથી 4 લોકોને બચાવી લેવાયા હતા પરંતુ કારની અંદરના બાકીના લોકો ડૂબી ગયા હતા. જાણવા મળ્યું છે કે કારમાં સવાર તમામ લોકો નદી પાર કરીને કિરીટેશ્વરી જઈ રહ્યા હતા. અકસ્માતની માહિતી મળતાં જ મુર્શિદાબાદ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. નદી કિનારે હાજર ખલાસીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી. લગભગ બે કલાકની જહેમત બાદ કારના કાચ તોડી ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો. ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
પ્રત્યક્ષદર્શી રિંકુ ગોરાઈએ કહ્યું, સવારની ભીડ દરમિયાન બોટમાં ઘણી ભીડ હતી. બોટ પર એક કાર પણ હતી. મુસાફરોના વજનને કારણે બોટની એક બાજુ લગભગ નમેલી હતી. ત્યારે કાર પલટી મારી નદીમાં પડી હતી. કિનારા પર હાજર ખલાસીઓએ કોઈક રીતે 4 લોકોને જીવતા બચાવ્યા હતા. ત્રણ ડૂબી ગયા હતા.