ગુજરાત

gujarat

Santalpur Highway Accident : સાંતલપુર હાઇવે પર અકસ્માત સર્જાતા 25 પ્રવાસીઓ પહોંચ્યા હોસ્પિટલ

By

Published : May 28, 2022, 3:46 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

પાટણ : સાંતલપુર હાઇવે પર સવારના સુમારે ટ્રેઇલર અને (Santalpur Highway Accident) લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં લક્ઝરી બસમાં સવાર 25 જેટલા પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થતાં તેઓને 108 મારફતે રાત્રે સાંતલપુર સામુહિક (Taylor and Bus Accident) આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ચાર પ્રવાસીઓને વધુ સારવાર માટે અન્યત્ર ખસેડાયા હતા. પહેલા આ સ્થળે પર સર્જાયેલા અકસ્માતગ્રસ્ત ટેલર હાઈવે ઉપરથી ન હટાવાતા બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હતો. આ ઉપરાંત સાંતલપુર હાઇવે પર અગાઉ સર્જાયેલા અકસ્માત વાળું ક્ષતિગ્રસ્ત ટેલર સમયસર તંત્ર દ્વારા હટાવવામાં ન આવતા બેદરકારીને (Luxury Bus Accident) કારણે આ અકસ્માત સર્જાયો છે. માટે હાઈવે માર્ગો પર સર્જાતાં અકસ્માતના ક્ષતિગ્રસ્ત વાહનો તંત્ર દ્વારા સમયસર હટાવી લેવામાં આવે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details