મંદિર વિવાદમાં 1100 લોકોએ રાજીનામાં ધર્યા, ભાજપના સભ્યપદને કહ્યુ અલવિદા - BJP 1100 people resign
નવસારીના જમાલપોર વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં ગત દિવસોમાં ગેરકાયદેસર રીતે બનાવેલ રાધાકૃષ્ણ મંદિરના દબાણને દૂર કરતી વખતે પોલીસે મહિલાઓને પણ માર મારવાની ઘટનાને પગલે સ્થાનિકો સહિત શહેરમાં આક્રોશ છે, ત્યારે સર્વોદય સોસાયટીમાં રહેતા ભાજપી આગેવાનો સહિત કાર્યકર્તાઓ મળી 1100 લોકોએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી સામુહિક રાજીનામા (BJP 1100 people resign) જિલ્લા ભાજપ પ્રમુખને ધરી દીધા હતા. જેને લઈને ભાજપમાં સોપો પડી ગયો છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST