વડોદરા શહેરમાં ગટરોની સમસ્યાને લઇને રહીશો ત્રાહિમામ - vishranti society drainage chock up issue
વડોદરાઃ શહેરના વાઘોડિયા રોડ પર આવેલી વિશ્રાન્તિ 2 સોસાયટીમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી વરસાદી પાણીનો ભરાવો થતા ઉભરાતી ગટરની સમસ્યાએ માથુ ઉચક્યું છે. તંત્ર દ્વારા આ વિસ્તારમાં પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેને લીઘે વરસાદ આવે ત્યારે સોસાયટીના કંમ્પાઉન્ડમાં ગટરો ઉભરાવા લાગે છે. આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા રહીશોએ દૂષિત પાણીમાં ઉભા રહી તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.