રાજકોટઃ રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદ બાદ રાજકોટમાં પણ રાત્રી કરફ્યૂ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં શનીવાર રાત્રેથી કરફ્યૂનો પોલીસ દ્વારા અમલ કરાવવામાં આવી રહ્યો છે. રાત્રી કરફ્યૂને લઈ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા લોકોને ઘરે રહેવા અપીલ કરવામાં આવી છે.