ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, કારણ અકબંધ - થોરાળા પોલીસ મથક'

🎬 Watch Now: Feature Video

By

Published : Dec 31, 2019, 5:30 PM IST

રાજકોટ: થોરાળા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો છે. આશિષ દવે નામના પોલીસ કોન્સ્ટેબલ હેડક્વાર્ટર ખાતે ફાળવાયેલ કવાર્ટરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જો કે, કોન્સ્ટેબલ ક્યા કારણોસર આત્મહત્યા કરી છે, એ કારણ બહાર આવ્યું નથી, પરંતુ ઘરકંકાસના કારણે પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી હોવાનું પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે. હાલ કોન્સ્ટેબલ કરેલી આત્મહત્યાના કેસમાં વધુ તપાસ પ્રદ્યુમનનગર પોલીસ ચલાવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details