સુરતમાં ટેનામેન્ટના અસરગ્રસ્તોને ભાડુ ન ચુકવાતા આમરણાંત ઉપવાસ - કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટ ના અસરગ્રસ્તો
સુરત: કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટના અસરગ્રસ્તોને છેલ્લા 5 માસથી પાલિકા અને કોન્ટ્રાકટર દ્વારા ભાડું ના ચૂકવતા આમરણ ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હતાં. જેમાં 1304 જેટલા લોકોએ હાથમાં કાળી પટ્ટી બાંધી મકાનના બદલે મકાનની માંગણી કરી વિરોધ નોંધાવ્યો હતો.