અમદાવાદઃ આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે 06 મહાનગર પાલિકા, જિલ્લા પંચાયતો તેમજ તાલુકા પંચાયતોની ચૂંટણીના સંદર્ભમાં 24 ડિસેમ્બરે શહેર ભાજપની ચિંતન બેઠક યોજાઇ હતી. નારણપુરામાં શરૂ થયેલી શહેર ભાજપની બેઠકમાં સાંજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહ રાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજા જોડાયા હતા. સી.આર.પાટીલે કાર્યકરોને માર્ગદર્શન આપ્યુ હતું. આ બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુટણી અંગે મંથન કરવામાં આવ્યું હતું.