દિયોદર સેવા સહકારી શરાફી મંડળીના પાણીના ટાંકામાંથી મળ્યો મૃતદેહ, ઘટના CCTVમાં કેદ
પાલનપુરઃ બનાસકાંઠાના દિયોદરમાં પાણીના ટાંકામાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. ધી દિયોદર સેવા સહકારી શરાફી મંડળીના પાણીના ટાંકામાંથી મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહની ઓળખ 48 વર્ષીય રમેશ પઢીયાર તરીકે કરવામાં આવી છે. જે દિયોદરના હોવાનું સામે આવ્યું છે. યુવકના પાણીના ટાંકામાં ઉતરતા CCTV પણ સામે આવ્યાં છે. આ ઘટના અંગે દિયોદર પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.