ગુજરાત

gujarat

ETV Bharat / videos

મુંબઈમાં લોકડાઉનના ડરથી પોતાના વતન તરફ સ્થળાંતર કરી રહ્યા છે મજૂરો

By

Published : Apr 9, 2021, 10:06 AM IST

Updated : Apr 9, 2021, 1:30 PM IST

થાણે: મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે મહારાષ્ટ્ર વિકાસ આધાડી સરકારે મીની લોકડાઉન લગાવ્યું છે. દૈનિક જરૂરિયાત સિવાય અન્ય તમામ ઉદ્યોગો, વ્યવસાયો અને દુકાનો બંધ કરી દેવામાં આવી છે. આને કારણે હોટલ, બાર અને ઉદ્યોગમાં કામ કરતા કામદારો પાછલા વર્ષની જેમ જ આ આ વખતે ફરી તેમના ગામનો રસ્તો પકડી રહ્યા છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ગુજરાતના કામદારો તેમના ગામ જવા માટે થાણાના માજિવાડામાં એકઠા થઈ રહ્યા છે. રેલવેમાં પુષ્ટિ થયેલ ટિકિટ આવશ્યક છે. આને કારણે કામદારોએ રસ્તાના માર્ગેથી જવું પસંદ કર્યું છે. માજિવાડા લગભગ એક બસ સ્ટેશન જેવું બની ગયું છે. અહીંથી યૂપી, બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાત માટે બસો મળી રહી છે. વ્યક્તિએ એક હજાર રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા ભાડુ ચૂકવવું પડી રહ્યું છે. મુંબઇ, થાણામાં કામના અભાવે ભૂખમરો સહન કરવા કરતા મજૂરો ગામમાં જવાનું પસંદ કરી રહ્યા છે.
Last Updated : Apr 9, 2021, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details