કોવિડ-19 અંગે કેન્દ્ર સરકારે જાહેર કરેલા રાહત પેકેજ ભાગ-4 અંગે અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ સાથે ઈટીવી ભારતની ખાસ ચર્ચા - નાણાપ્રધાન નિર્મલા સીતારમન
ન્યૂઝ ડેસ્કઃ કેન્દ્ર સરકારે આજે કરેલી જાહેરાતમાં માઈનિંગ સેકટરમાં ખાનગી રોકાણને વધારવા પ્રોત્સાહન અપવું, 500 માઈનિંગ બ્લોકની હરાજી, સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઈની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઓર્ડિનેસ ફેકટરીઝ બોર્ડનું કોર્પોરેટાઈઝેશન કરવા અને તેના શેરબજારમાં લિસ્ટિંગ અંગેની પણ જાહેરાત કરવામાં આવી છે. આજની આ જાહેરાતો અંગે અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ ઈટીવી ભારત સાથે ચર્ચા કરી હતી.