પુરીના જગન્નાથ મંદિરનું અજાણ્યું રહસ્ય... - Puri Temple
ન્યૂઝ ડેસ્કઃ પુરાણોમાં જગન્નાથ પુરીને ધરતીનું વૈકુંઠ કહેવામાં આવે છે. આ પુરીમાં બનેલું જગન્નાથ મંદિર ભારતમાં હિન્દુઓના ચાર ધામોમાનું એક છે. આ ધામ 800 વર્ષથી પણ વધુ જૂનું હોવાનું માનવામાં આવે છે. પુરીના જગન્નાથ મંદિર સાથે કેટલાક રહસ્યો જોડાયેલા છે. જે બધાને આશ્ચર્યચકિત કરે છે. જેવી કે જગન્નાથ મંદિરના શિખર પર સ્થિત ધજા હંમેશા પવનની વિપરીત દિશામાં લહેરાય છે. એવી જ રીતે મંદિરના શિખર પર એક સુદર્શન ચક્ર પણ છે. આ ચક્રને કોઇ પણ દિશામાં રાખવામાં આવે તો પણ તેનું મુખ આપણી તરફ જ રહે છે.