કોરોના વાયરસથી બચવા માટે ગૌમુત્ર પાર્ટીનું આયોજન કરાશેઃ ચક્રપાણી મહારાજ - safety with corona virus
નવી દિલ્હી: દેશભરમાં વધી રહેલા કોરોના વાયરસના ફેલાવાને કારણે અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રમુખ, ચક્રપાણી મહારાજે દાવો કર્યો છે કે, સવારે નરણાકોઠે ગૌમૂત્ર પીવાથી આ વાયરસથી છૂટકારો મળી શકે છે. રાજકારણીઓ પણ ગુપ્ત રીતે ગૌમૂત્રનું સેવન કરે છે. કોરોના વાયરસથી બચવા માટે ગૌમુત્ર પાર્ટીનું આયોજન કરવામાં આવશે. 25 માર્ચે હરિયાણાના સોનિપત ખાતે વિશાળ કાર્યક્રમનું આયોજન કરી ગૌમુત્ર પાર્ટીમાં લોકોને ગૌમુત્ર પીવડાવવામાં આવશે.