ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાહત પેકેજ પર ઈટીવી ભારતની હરિયાણાના કૃષિ પ્રધાન જેપી દલાલ અને યોગેન્દ્ર યાદવ સાથે ખાસ વાતચીત

By

Published : May 16, 2020, 11:43 AM IST

હરિયાણાઃ ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર સરકારે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આ ઘોષણાઓ અંગે ઇટીવી ભારત સાથે વાત કરતાં હરિયાણાના કૃષિ પ્રધાન જયપ્રકાશ દલાલે કહ્યું હતું કે, ખેડૂતોની સમસ્યાઓ ખૂબ ટૂંકા સમયમાં દૂર કરી શકાય તેમ નથી. સૌ પ્રથમ તો ખેડુતોએ સાહૂકારોની પકડમાંથી બહાર નીકળવું પડશે. આમાંથી બહાર કાઢવા માટે, કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. હરિયાણાના ખેડુતો પાસે ચાર ટકાના વ્યાજ પર સારી મૂડી ઉપલબ્ધ છે. આ મુદ્દે વાત કરતાં સ્વરાજ ઇન્ડિયાના સંયોજક અને રાજકીય અને સામાજિક વિશ્લેષક યોગેન્દ્ર યાદવે કહ્યું છે કે, કોરોનાના સંકટમાં પણ દેશ ગર્વથી ઉભો છે તો તે ફક્ત ખેડૂતોના કારણે છે. કારણ કે આપણો અનાજનો જથ્થો ભરેલો છે, નહીં તો આપણી સ્થિતિ 1960 જેવી થઈ હોત.

ABOUT THE AUTHOR

...view details