અધીર રંજન ચૌધરીએ નિર્મલા સીતારમણની માફી માગી - adhir ranjan
નવી દિલ્હી: ગત રોજ સંસદમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સંસદમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારમણને નિર્બલા સીતારમણ કહ્યા હતા. જે બાદ સદનમાં બે દિવસથી ભાજપના સાંસદો માફી માગવાની વાત પર અડગ રહ્યા હતા. આ બાબતની ગંભીરતા જાણી આજે કોંગ્રેસ નેતા અધીર રંજને સદનમાં માફી માગી હતી.