મુંબઈથી ટ્રકમાં છુપાઈને આવતા પ્રવાસીનું મોત - મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર : મુંબઇથી 17 શ્રમિકો ટ્રકમાં સુલતાનપુર આવી રહ્યા હતા. જેમાં કોતવાલી વિસ્તારના અમહાટ પાસે ટ્રક પહોંચ્યા બાદ એક પ્રવાસી બેભાન થઈ ગયો હતો. તપાસ દરમિયાન તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.