ગુજરાત

gujarat

શું છે યુગલોનું ભાવનાત્મક રીતે દૂર થવા પાછળનું કારણ ?

By

Published : Jul 3, 2022, 3:36 PM IST

ઘણીવાર, ઘણા કારણોસર યુગલો ભાવનાત્મક રીતે દૂર થઈ જાય છે અને તેઓ સાથે રહેતા હોય ત્યારે પણ એકલતાની લાગણી અનુભવે છે. આ પ્રકારની અનુભૂતિ સામાન્ય રીતે મધ્યમ વય દરમિયાન થાય છે અને વ્યક્તિના ભાવનાત્મક સ્વાસ્થ્યને (emotional health) અસર કરી શકે છે, જેનાથી તણાવ, ઉદાસી, નિરાશા અને આત્મવિશ્વાસનો (self-confidence) અભાવ પણ થાય છે. તે શા માટે થઈ શકે છે તેના અહીં 3 કારણો છે.

શું છે યુગલોનું ભાવનાત્મક રીતે દૂર થવા પાછળનું કારણ ?
શું છે યુગલોનું ભાવનાત્મક રીતે દૂર થવા પાછળનું કારણ ?

ન્યુઝ ડેસ્ક:ઉત્તરાખંડમાં સ્થિત મનોવૈજ્ઞાનિક ડૉ. રેણુકા (Psychologist Dr. Renuka) કહે છે કે, ઘણી વખત લોકો એકબીજાની આદત બની જાય છે અને તેમની દિનચર્યા અને જવાબદારીઓમાં ડૂબી જાય છે કે, તેઓ તેમના જીવનસાથી પ્રત્યે પ્રેમ અને કાળજી વ્યક્ત કરવાનું અથવા તેમને મહત્વપૂર્ણ અનુભવવાનું બંધ કરી દે છે. આનાથી તેઓ ભાવનાત્મક રીતે દૂર થઈ શકે છે અને સંબંધમાં હતાશ થઈ શકે છે. ડૉ. રેણુકા નીચેના કારણો સમજાવે છે, જેનાથી સંબંધમાં એકલતાનો થાય છે અનુભવ.

આ પણ વાંચો:ઓછા વજન કરતાં મેદસ્વી લોકો માટે કોવિડ વેક્સ છે વધુ અસરકારક...

ઉચ્ચ અપેક્ષાઓ

ડો. રેણુકા સમજાવે છે કે, જાણ્યે-અજાણ્યે યુગલોને એકબીજા પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે અને જ્યારે તે પૂરી ન થાય ત્યારે તેઓ ફરિયાદ કરવા અને ગુસ્સો વ્યક્ત કરવા લાગે છે. પાર્ટનર એકબીજા પાસેથી ઘણી અપેક્ષાઓ રાખે છે અને આ અપેક્ષાઓ માત્ર પરસ્પર લાગણીઓ સુધી મર્યાદિત નથી પણ નાણાકીય મુદ્દાઓ, એકબીજાના પરિવારો પ્રત્યેનું વર્તન, કુટુંબની જવાબદારીઓ અને અન્ય ઘણી સંબંધિત બાબતો સાથે પણ સંબંધિત છે. આવી સ્થિતિમાં, જો ભાગીદારો વચ્ચે વાતચીતની ગેરહાજરી (Absence of communication) હોય તો આવા મુદ્દાઓ વણઉકેલાયેલા રહી શકે છે અને બંને વચ્ચે ભાવનાત્મક અંતરનું કારણ બની શકે છે.

ભાવનાત્મક જોડાણનો અભાવ

ભાવનાત્મક પરાધીનતાના અભાવના (lack of emotional dependence) કિસ્સામાં ભાગીદારો સાથે રહેવા છતાં વધુ વાતચીત કરતા નથી અને ભાવનાત્મક રીતે એકલતા અનુભવવાનું શરૂ કરે છે. આ એટલા માટે છે કારણ કે, સંબંધની શરૂઆતમાં બંને ભાગીદારો ઘણી વાતો કરે છે, તેમના પ્રેમને વ્યક્ત કરે છે અને આકર્ષવાનો પ્રયાસ કરે છે, જે તેમને એકબીજા પ્રત્યે વધુ આકર્ષિત કરે છે અને તેમને નજીક લાવે છે. જો કે, સમય જતાં, જેમ જેમ નોકરી, કુટુંબ, નાણાં અને બાળકોની જવાબદારીઓ આવી જાય છે, તેમ તેમ તેઓ તેમાં ડૂબી જાય છે અને ભાવનાત્મક રીતે એકબીજાથી દૂર થઈ જાય છે.

વિશ્વાસઘાત

કેટલીકવાર, જ્યારે તેમની ભાવનાત્મક અથવા શારીરિક જરૂરિયાતો (emotional or physical requirements) ઘરે પૂરી થતી નથી, ત્યારે માત્ર પુરુષો જ નહીં, પરંતુ સ્ત્રીઓ પણ તેમના ઘરની બહાર તે શોધે છે અને તેમના સહકર્મીઓ અથવા તેમના જીવનસાથી સિવાય અન્ય લોકો તરફ આકર્ષિત થાય છે. આ ઝડપથી વધી શકે છે અને ઓફિસ રોમાંસ અને લગ્નેતર સંબંધોમાં પરિણમી શકે છે. જો કે, આ હોવા છતાં ઘણા ભાગીદારો તૂટેલા વિશ્વાસ સાથે સાથે રહે છે, જે નિરાશાજનક હોઈ શકે છે અને એકબીજા પ્રત્યે ગુસ્સો અને નફરત તરફ દોરી શકે છે. આ ભાવનાત્મક અંતર અને એકલતા લાગણીનું કારણ બની શકે છે.

આ પણ વાંચો:ચોમાસામાં હર્બલ ચાની ચુસ્કી સાથે તમારી સવાર બનાવો એર્નજેટિક

  • ડો. રેણુકાએ ઉલ્લેખ કર્યો છે કે, ઉંમરને ધ્યાનમાં લીધા વિના સંબંધમાં તમારા પાર્ટનરને માન આપવું અને સારી વાતચીત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંબંધો પ્રેમ, આદર, વિશ્વાસ, સંવાદિતા અને વાતચીત પર આધારિત છે. તેથી, જો દંપતી સંબંધમાં અસ્વસ્થતા અનુભવે છે, તો સલાહ આપવામાં આવે છે કે, ભાગીદારો તેના વિશે ખુલ્લેઆમ ચર્ચા કરે. આ તેમને પોતાને સુધારવાની તક આપે છે. સંબંધને સુઘારવા માટે વ્યક્તિ પોતાના મિત્રો, પરિવાર કે બાળકોની પણ મદદ લઈ શકે છે. આ બધું હોવા છતાં પણ જો સમસ્યા ચાલુ રહે તો રિલેશનશિપ કાઉન્સેલરની (relationship counselor) મદદ લઈ શકાય છે.

ABOUT THE AUTHOR

...view details