નવી દિલ્હી: છેલ્લા બે વર્ષમાં દૂધની કિંમતમાં વધારો થયો હોવા છતાં, દિલ્હી એનસીઆર (What Delhi NCR says about its milk) માં વસ્તીનો મોટો હિસ્સો માને છે કે, ગુણવત્તા (quality of milk) માં વધુ સુધારો થયો નથી. ઓનલાઈન કોમ્યુનિટી પ્લેટફોર્મ લોકલસર્કલ્સે દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR) માં લોકોદૂધનો ઉપયોગ કેવી રીતે કરે છે, તેમની પસંદગીઓ, ગુણવત્તા અને તાજગીના (adulterated milk) મુદ્દાઓ સમજવા માટે એક વ્યાપક સર્વે હાથ ધર્યો હતો. ઉપભોક્તાઓને વપરાશ સંબંધિત પ્રશ્નો વિશે પૂછવામાં આવ્યું હતું, તેમજ તેઓને તેમના દૂધના સપ્લાયરને સપ્લાય ચેઇનના પાસાઓ પર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેથી તેઓ તેમના પોતાના ફાયદા માટે સારી સમજ મેળવી શકે.
દૂધની ગુણવત્તા:ઉપભોક્તાઓએ નિયમિતપણે ઉઠાવેલ ટોચની ચિંતાઓમાંની એક દૂધની ગુણવત્તા અને શુદ્ધતા છે અને કેટલાક કિસ્સાઓમાં ભેળસેળ અંગેની ચિંતા છે. 9,356 ઉત્તરદાતાઓમાંથી, ત્રણમાંથી બે માને છે કે, તેઓ જે દૂધ લે છે તે શુદ્ધ નથી અને માત્ર એક તૃતીયાંશ ભાગના ઉત્તરદાતા માને છે કે, તેઓ શુદ્ધ ગાય અથવા ભેંસનું દૂધ મેળવી રહ્યાં છે. બે તૃતીયાંશ ઉત્તરદાતાઓમાંથી, 21 ટકા માને છે કે, તેમના દ્વારા ખરીદેલા દૂધમાં થોડું પાણી, ચરબી અને દૂધનો પાવડર ઉમેરવામાં આવ્યો છે. અન્ય 21 ટકા માને છે કે, પાણી, ચરબી અને દૂધના પાવડર ઉપરાંત તેમના દ્વારા મેળવેલા દૂધમાં ભેળસેળ હોય છે અને 17 ટકા માને છે કે, દૂધ પાણીમાં ભળી રહ્યું છે.