ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

કોરોના કાળમાં વધી ઑક્સિમીટરની માંગ, જાણો તેના કાર્ય

કોરોનાકાળમાં બજારમાં ઑક્સિમીટરની માંગ એટલી વધારે વધી ગઇ છે કે લોકો બેગણી કિંમત આપીને પણ ખરીદવા તૈયાર છે પણ મોટાભાગના લોકોને એ પણ ખ્યાવ નથી કે ઑક્સીમીટરની જરૂરત કઇ કઇ સ્થિતિમાં પડી શકે છે અને તેનું કામ શું છે.

By

Published : May 1, 2021, 4:43 PM IST

કોરોના કાળમાં વધી ઑક્સિમીટરની માંગ, જાણો તેના કાર્ય
કોરોના કાળમાં વધી ઑક્સિમીટરની માંગ, જાણો તેના કાર્ય

  • કોરોના કાળમાં લોકો સ્વાસ્થ્ય અંગે જાગૃત રહે તે જરૂરી
  • ઑક્સિજનના લેવલને માપવા માટે જરૂરી છે ઑક્સીમીટર
  • જાણો, શું છે ઑક્સીમીટર અને તેનો ઉપયોગ

ન્યૂઝડેસ્ક : કોરોના વાઇરસના વધતા મામલાના કારણે લોકો ચિંતામાં આવી ગયા છે અને આ સંક્રમણથી બચવા માટે લોકો તમામ પ્રયત્ન કરી રહ્યાં છે. કોરોના સંક્રમણના મુખ્ય લક્ષણમાં શરીરમાં ઑક્સીજનના સ્તરમાં ઘટાડો માનવામાં આવે છે. એટલા માટે ઘરે ઑક્સિજન માપવા માટે ઑક્સીમીટર રાખવા અને તેનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. જેના કારણે બજારમાં પલ્સ ઑક્સિમીટરની માંગ ઘણી વધી ગઇ છે. અત્યારે સ્થિતિએ છે કે સામાન્ય રીતે દરેક ઘરમાં થર્મોમીટર તો જોવા મળે જ છે તેવી રીતે ઑક્સીમીટર દરેક ઘરમાં ઑક્સીમીટર મેડિકલ કીટનો એકભાગ બની ગયો છે. ઑક્સિમીટર કેવું સાધન છે અને તે કેવી રીતે કામ કરે છે તે અંગે ETV ભારતના સુખીભવ પોતાના વાચકોને વિશેષ માહિતી આપી રહ્યું છે.

શું છે ઑક્સીમીટર અને તેનો ઉપયોગ

ઑક્સીમીટર એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે. જેમાં લાગેલા સેન્સર લોહીના પ્રવાહમાંના ઑક્સિજનના સ્તરને માપે છે. ઑક્સીમીટરને આંગળી અથવા કાન પર ક્લિપ પર લગાવવમાં આવે છે. ઑક્સીમીટર ત્વચા પર એક વિશેષ રંગના પ્રકાશથી રક્તકણની ગતિવિધી તથા તેમના રંગના આધારે ઑક્સીજનના સ્તર અને તેની સ્થિતિ માપે છે. ઑક્સીમીટર, ઑક્સીજનના સ્તર સાથે સાથે હૃદયના ધબકારા પણ માપી લે છે. ઑસ્કીમીટર એક નાનકડું મશીન છે. જે દેખાવમાં એક ક્લીપ જેવી લાગે છે. ઑક્સિજન માપતી વખતે ઑક્સીમીટરને આંળગીમાં અપાલે નિર્દેશ અનુસાર રાખવાનું હોય છે. ખૂબ જ જરૂરી છે કે આંગળી મશીનમાં વ્યવસ્થિત રીતે રાખવામાં આવે અને તપાસ દરમ્યાન હલાવવામાં ન આવે જો આવું ન કરવામાં આવે તો રીડિંગ ખોટા આવી શકે છે. ઑક્સીમીટરનો ઉપયોગ હોસ્પિટલમાં ઓપરેશન સમયે અને ઇન્ટેન્સિવ કેયર દરમ્યાન જરૂરી માનવામાં આવે છે.

વધુ વાંચો:મ્યૂટેશન થતા રહેશે, આપણે સાવચેત રહેવાની જરૂર છે - ડૉ. શશાંક જોશી

કોરોનાના દર્દીઓમાં ઑક્સીજન મોનિટરિંગની જરૂરીયાત

કોરોનાના દર્દીઓમાં ઑક્સિજનના સ્તરની નિયમિત રીતે તપાસ કરવી જરૂરી છે. ખરેખર જ્યારે મોટાભાગના કેસમાં જ્યારે કોઇ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે ત્યારે તેના શરીરમાં ઑક્સીજનનું સ્તર ઓછું થવા લાગે છે. તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. આવા લોકોને કોરોના સંક્રમિત થવાની આશંકાને જોતા ઑક્સીમીટરથી ઑક્સીજન માપવામાં આવે છે. ડૉક્ટર્સનું માનીએ તો જો ઑક્સીજનની માત્રા 95 ટકા થી 100ની રેન્જમાં હોય તો તેને સામાન્ય ગણવામાં આવે છે. જો કોરોના સંક્રમિતોમાં ઑક્સીજનનું સ્તર 90 ટકાથી ઓછું થઇ જાય તો સારો સંકેત નથી. ઑક્સીજનનો સતત ઘટતો સ્તર ખતરનાક સંકેત છે. સ્થિતિ વધારે ખરાબ થતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે.

વધુ વાંચો:ઓબેસ અને ઓવરવેઇટ ધરાવતા લોકોને કોવિડ થવાની શક્યતા વધારે: અભ્યાસ

ઘરમાં ઑક્સીમીટરની જરૂર

કોરોનાની ગંભીર સ્થિતિને જોતા જાણકાર લોકો ઘરમાં ઑક્સીમીટર રાખવાની સલાહ આપે છે. જેથી જ્યારે પણ કોઇ લક્ષણ દેખાય તો તરત જ ઑક્સિજનનું સ્તર માપી શકાય. જો કે શરીરમાં ઑક્સીજનનું સ્તર ઘટે તેનો અર્થ એ નથી કે આપને કોરોના છે. ઑક્સિજનના સ્તર ઘટવાના અન્ય કારણ પણ હોઇ શકે છે. જાણકારોનું માનીએ તો આ ઉપકરણ કોરોનાની તપાસ નથી કરતો આ ફક્ત શરીરના ઑક્સિજનનું સ્તર માપે છે. ખાસ કરીને કોરોના સંક્રમિત હોમઆઇસોલેશનમાં છે તેમના શરીરમાં ઑક્સીજનની તપાસ નિયમીત રીતે કરવી જોઇએ. એવામાં ઑક્સીમીટરની જરૂર પડે છે. સામાન્ય અને સ્વસ્થ લોકો માટે ઑક્સીમીટરની જરૂરત નથી.

ABOUT THE AUTHOR

...view details