ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

Influenza Vs Omicron: જાણો સિઝનલ ઈન્ફલ્યુએન્ઝા અને ઓમિક્રોન વચ્ચે કયું વધુ ખતરનાક છે ? - શ્વસન રોગો

ઈન્ફલ્યુએન્ઝા અને કોવિડ 19 એ બંને શ્વસન સંબંધી રોગો છે. જેમાં ટ્રાન્સમિશનની સમાન રીત છે. વધુ જાણવા માટે સંશોધકોએ ઓમિક્રોન વેરિઅન્ટ સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને મોટી શૈક્ષણિક હોસ્પિટલમાં ઈન્ફલ્યુએન્ઝા સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે દર્દીઓના ક્લિનિકલ પરિણામોની સરખામણી કરી છે.

Influenza Vs Omicron: જાણો સિઝનલ ઈન્ફલ્યુએન્ઝા અને ઓમિક્રોન વચ્ચે કયું વધુ ખતરનાક છે ?
Influenza Vs Omicron: જાણો સિઝનલ ઈન્ફલ્યુએન્ઝા અને ઓમિક્રોન વચ્ચે કયું વધુ ખતરનાક છે ?

By

Published : Apr 8, 2023, 5:32 PM IST

નવી દિલ્હી: ઓમિક્રોન વેરિઅન્ટ સાથે હોસ્પિટલમાં દાખલ પુખ્ત વયના લોકોમાં મોસમી ઈન્ફલ્યુએન્ઝા સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા લોકો કરતાં વધુ મૃત્યુદર છે. એક નવું સંશોધન કરવામાં આવ્યું હતું તેમાં નવી માહિતી પ્રપ્ત થઈ છે. ઇઝરાયેલની બેલિનિસન હોસ્પિટલ ખાતેના રાબિન મેડિકલ સેન્ટરના ડો. અલા આત્માના અને સહકર્મીઓ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, 2021-2022 ઈન્ફલ્યુએન્ઝા સીઝન દરમિયાન ઈન્ફલ્યુએન્ઝા સાથે હોસ્પિટલમાં દાખલ પુખ્ત વયના લોકો ઓમિક્રોન સાથે હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ઓછી હતી. 30 દિવસમાં મૃત્યુ થવાની શક્યતા ટકા ઓછી હતી.

આ પણ વાંચો:Change Of Weather tips : બદલાતી સિઝનમાં ફિટ રહેવા માટે આ સરળ રીતો અજમાવો

શ્વસન સંબંધી રોગ: ઈન્ફલ્યુએન્ઝા અને કોવિડ-19 એ બંને શ્વસન સંબંધી રોગો છે. જેમાં ટ્રાન્સમિશનની સમાન રીત છે. વધુ જાણવા માટે સંશોધકો ઓમિક્રોન વેરિઅન્ટ સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ અને ઈઝરાયેલની મોટી શૈક્ષણિક હોસ્પિટલમાં ઈન્ફલ્યુએન્ઝાથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ક્લિનિકલ પરિણામોની સરખામણી કરી હતી. એકંદરે 30 દિવસમાં 63 દર્દીઓ મૃત્યુ પામ્યાં હતાં. જેમાં ઈન્ફલ્યુએન્ઝા સાથે હોસ્પિટલમાં દાખલ 19 અને ઓમિક્રોન સાથે હોસ્પિટલમાં દાખલ 44નો સમાવેશ થાય છે. શ્વસન સંબંધી ગૂંચવણો અને ઓક્સિજન સપોર્ટ અને યાંત્રિક વેન્ટિલેશનની જરૂરિયાત પણ મોસમી ઈન્ફલ્યુએન્ઝા કરતાં ઓમિક્રોનના કેસોમાં વધુ સામાન્ય હતી.

આ પણ વાંચો:World Homeopathy Day 2023: વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, જાણો શું છે આ વર્ષની થીમ

મૃત્યુદરનું એક સંભવિત કારણ: ડૉ. આત્માનાએ જણાવ્યું હતું કે, ''ઉચ્ચ ઓમિક્રોન મૃત્યુદરનું એક સંભવિત કારણ એ છે કે, ઓમિક્રોન સાથે દાખલ થયેલા દર્દીઓને ડાયાબિટીસ અને ક્રોનિક કિડની ડિસીઝ જેવા વધારાના મુખ્ય અંતર્ગત રોગ હતા. આ તફાવત કોવિડ-19 માટે અત્યંત પ્રતિરક્ષા પ્રતિભાવને કારણે પણ હોઈ શકે છે અને ઓમિક્રોનના દર્દીઓમાં COVID-19 સામે રસીકરણ ખૂબ જ ઓછું હતું.

ABOUT THE AUTHOR

...view details