વલસાડઃ કાળઝાળ ગરમીમાં ઓરડી જેવી રૂમમાં બફારો, લોકડાઉનને કારણે કંપનીઓ બંધ, રાશન-ફૂડ પેકેટ્સ આપતી સંસ્થાઓ હાંફી ગઈ છે. ત્યારે હવે ખરા કપરા સમયનો સામનો વાપીમાં આવેલા પ્રવાસી કામદારો કરી રહ્યા છે. આવા સમયે હજારો કામદારો પગપાળા કે સાયકલ ઉપર કે અન્ય વાહનોમાં વતન જવા નીકળી રહ્યા છે. સરકારે પણ આ પરિસ્થિતિ જોઈ હાલમાં સ્પેશિયલ ટ્રેન દ્વારા શ્રમિકોને વતન પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે.
જે અંતર્ગત ત્રણ જેટલી શ્રમિક ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશના 3600 કામદારોને વતન રવાના કર્યા છે. હવે બિહારના 3000 લોકોને ટ્રેન મારફતે મોકલવા રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે. જેમાં વતન વાપસી માટે હજારો કામદારો કાળઝાળ ગરમીમાં પણ કિલોમીટર લાંબી લાઈનમાં ઉભા રહ્યા છે.