વલસાડઃ જિલ્લામાં દિન-પ્રતિદિન વધી રહેલા કોરોના કેસને લઈને જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં હવેથી દરેક જગ્યા પર ચાર વાગ્યે દુકાનો બંધ કરવા અને દરેક બજારો ચાર વાગ્યે બંધ કરી દેવા જણાવ્યું છે, ત્યારે વલસાડ જિલ્લાના હોલસેલ વેપારી મંડળે હોલસેલની દુકાનો 2:00 વાગ્યા સુધી જ ચાલુ રાખવાનું મહત્વનો નિર્ણય કર્યો છે.
વલસાડ જિલ્લા હોલસેલ વેપારી મંડળ દ્વારા વૈશ્વિક મહામારી કોરોનાને લઈને જિલ્લામાં વધી રહેલા કોરોના કેસને ધ્યાને લઇને હોલસેલ બજારની દુકાનો સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા બે દિવસમાં એક સાથે પંદરથી સોળ જેટલા કેસ જિલ્લામાં નોંધાઈ રહ્યાં છે. જેથી હોલસેલના વેપારીઓએ હોલસેલ બજારમાં લોકો વધુ એકત્ર ન થાય અને સંક્રમણ ન વધે તેવા હેતુથી સવારે આઠથી બપોરે બે વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે.