ગુજરાત

gujarat

By

Published : Jun 3, 2021, 3:43 PM IST

ETV Bharat / state

વલસાડ રેલવે ઓવરબ્રિજ 20 દિવસ માટે બંધ રહેતા એસ.ટી. વિભાગને 7 લાખનો ફટકો પડશે

વલસાડ રેલવે ઓવરબ્રિજને રેલવે કોરિડોરની કામગીરી માટે 21 જૂન સુધી બંધ કરવામાં આવતા અનેક વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જેમાં એસ.ટી. વિભાગ પણ બાકાત રહ્યું નથી. એસ.ટી. ડેપોની વાપી, દમણ અને ધરમપુર માટેની દરેક ટ્રીપ પર 12થી 14 કિલોમીટરનો વધારો ડાયવર્ઝનના કારણે થતા ડીઝલ પણ વધારે વપરાઈ રહ્યું છે. વલસાડ ડેપોને 30થી 35 હજાર રૂપિયાનો વધારાનો ખર્ચ ભોગવવાનો વારો આવશે.

વલસાડ રેલવે ઓવરબ્રિજ 20 દિવસ માટે બંધ રહેતા એસ.ટી. વિભાગને 7 લાખનો ફટકો પડશે
વલસાડ રેલવે ઓવરબ્રિજ 20 દિવસ માટે બંધ રહેતા એસ.ટી. વિભાગને 7 લાખનો ફટકો પડશે

  • વલસાડનો રેલવે ઓવરબ્રિજ 20 દિવસ માટે બંધ હતા એસ.ટી. વિભાગને ફટકો
  • ડાયવર્ઝન રૂટ ઉપર 12થી 14 કિલોમીટરનો વધારાનું અંતર કાપવુ પડશે
  • વલસાડ છીપવાડ ગરનાળાથી ગુંદલાવ થઈને ધરમપુર ચોકડી સુધી બસ દોડાવાશે

વલસાડ: બુલેટ ટ્રેનના કોરિડોરની કામગીરી ચાલતી હોવાથી 2થી 21 જૂન સુધી વલસાડનો રેલવે ઓવરબ્રિજ 20 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. જોકે વલસાડમાં આવવા જવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડી ડાયવર્ઝન આપી વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા ઊભી કરાઇ છે પરંતુ આ વૈકલ્પિક માર્ગ એસ.ટી. વિભાગ માટે ખર્ચાળ સાબિત થઈ શકે તેમ છે. કારણ કે ડાયવર્ઝન રૂટ ઉપરથી રોજિંદા 50થી વધુ ટ્રીપો દોડાવવામાં આવતા બસોના 1400 થી 1500 કિલોમીટરનું અંતર વધી જશે.

વલસાડ રેલવે ઓવરબ્રિજ 20 દિવસ માટે બંધ રહેતા એસ.ટી. વિભાગને 7 લાખનો ફટકો પડશે

દમણ, ધરમપુર અને વાપી માટે રોજિંદા 50 જેટલી ટ્રીપો દોડાવાય છે

રોજિંદા આવતા જતા પ્રવાસીઓ માટે વલસાડ એસ.ટી. ડેપો વિભાગ દ્વારા દમણ, ધરમપુર અને વાપી માટે 50 જેટલી બસો દોડાવવામાં આવે છે. જોકે, સામાન્ય દિવસોમાં આ બસ રેલવે ઓવરબ્રિજ થઇને જતી હતી પરંતુ તે 20 દિવસ માટે બંધ કરવામાં આવતા ડાયવર્ઝન માર્ગ ઉપરથી એટલે કે છીપવાડ ગરનાળા થઈને ગુંદલાવ ચોકડી અને તે બાદ ધરમપુર ચોકડી થઈને હાઇવે ઉપર આ બસ દોડી રહી છે. જેના કારણે એસ.ટી. વિભાગને દરેક ટ્રીપ દીઠ 14 કિલોમીટરનું વધારાનું અંતર કાપવુ પડી રહ્યું છે. જેના કારણે ડીઝલનો ખર્ચ પણ દરેક ટ્રીપ દીઠ વધી જશે.

રોજિંદા 50 ટ્રીપ ઉપર 1500 કિ.મી.નો વધારો નોંધાશે

વલસાડ જિલ્લાના ડેપો મેનેજર જે. બી. જોશીએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, ડાયવર્ઝન રૂટ વધવાને કારણે 50 જેટલી ટ્રીપો માટે રોજિંદા 1200થી 1500 જેટલા કિલોમીટર વધી જશે. જેની સીધી અસર બળતણ એટલે કે ડીઝલ ઉપર પડી શકે છે. દરરોજની 50 બસ પાછળ 30થી 35 હજાર રૂપિયાનો ખર્ચ ડીઝલ ઉપર વધી જશે અને આ ખર્ચ એસ.ટી. વિભાગે ભોગવવાનો રહેશે. સતત 20 દિવસ સુધી 1500 કિલોમીટરનો વધારો થતા 20 દિવસમાં અંદાજીત રૂપિયા 7 લાખ જેટલું નુક્સાન ડીઝલમાં એસ.ટી. વિભાગને ભોગવવાનું રહેશે.

COVID Guidelines ના કારણે બસમાં પ્રવાસીઓ સીમિત રખાય છે

COVID-19 ના કારણે એસ.ટી. વિભાગે બસમાં 70 ટકા પ્રવાસીઓ બેસાડવાનો નિર્ણય લીધો હતો. COVID Guidelines ને અનુસરવામાં અગાઉથી જ એસ.ટી. વિભાગને ખોટ પડી રહી હતી. તેમાં હવે ડિઝલનો ખર્ચ પણ ભોગવવાનો થતા એસ.ટી. વિભાગની મુશ્કેલીમાં વધારો આવી શકે છે. આમ, વલસાડ રેલવે ઓવરબ્રિજ 20 દિવસ માટે બંધ રહેતા તેની સીધી અસર વલસાડ એસ.ટી. ડેપોને થઈ રહી છે અને 20 દિવસમાં અંદાજીત રૂપિયા 7 લાખનો ખર્ચ ભોગવવાનો વારો આવશે.

ABOUT THE AUTHOR

...view details