ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ કલેકટર આર.આર.રાવલે યોજી બેઠક, જન મન અભિયાનની નવી પહેલ કરી

વલસાડ કલેક્‍ટર આર.આર.રાવલે જન મન અભિયાનની નવી પહેલ કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનતાની વેદનાને વાચા આપી લોકહૃદય સુધી પહોંચવા જન મન અભિયાનનો શ્રેષ્‍ઠ પ્રામાણિક પ્રયાસ થકી જિલ્લાની જનતાને વિકાસ યાત્રામાં જોડવા પ્રજાલક્ષી અભિગમ અપનાવાયો છે.

By

Published : Dec 10, 2020, 9:55 PM IST

Updated : Dec 10, 2020, 10:01 PM IST

વલસાડ
વલસાડ

  • વલસાડ કલેક્‍ટરે કરી જન મન અભિયાનની નવી પહેલ કરી
  • 25 ડિસેમ્બરના રોજ ધરમપુર ખાતેથી રથની શરૂઆત
  • જિલ્લાની જનતાને વિકાસ યાત્રામાં જોડવા પ્રજાલક્ષી અભિગમ અપનાવાયો

વલસાડ : કલેક્‍ટર આર.આર.રાવલે જન મન અભિયાનની નવી પહેલ કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનતાની વેદનાને વાચા આપી લોકહૃદય સુધી પહોંચવા જન મન અભિયાનનો શ્રેષ્‍ઠ પ્રામાણિક પ્રયાસ થકી જિલ્લાની જનતાને વિકાસ યાત્રામાં જોડવા પ્રજાલક્ષી અભિગમ અપનાવાયો છે. જન મન અભિયાનના ત્રીજા તબક્કામાં વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અને શ્રીમદ્‌ રાજચંદ્ર આશ્રમ ધરમપુરના સંયુક્‍ત સહકારથી જન કલ્‍યાણનો અટલ-સેવા-શટલ 25 ડિસેમ્બરના રોજ રથની શરૂઆત સ્‍વ.વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇની જન્‍મતિથિ અને ગુડ ગર્વન્‍નસ ડેના ઉપલક્ષમાં તા.25 ડિસેમ્‍બર 2020ના રોજ ધરમપુર ખાતેથી કરવામાં આવશે.

અટલ-સેવા- શટલના મુખ્‍ય બે ભાગ રહેશે

જન કલ્‍યાણના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર પોતાની નાગરિક જવાબદારી અને નૈતિક ફરજ અદા કરશે. આ અટલ-સેવા- શટલના મુખ્‍ય બે ભાગ રહેશે. જે પૈકી ભાગ-1 માં વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના તમામ ગામોમાં કેન્‍દ્ર અને રાજય સરકારની આરોગ્‍ય અને મહિલા બાળ કલ્‍યાણની તમામ કલ્‍યાણકારી યોજનાઓ લોકહૃદય સુધી પહોંચે તથા તેની અક્ષરશઃ અમલવારી થાય તે માટે પ્રધાનમંત્રી માતૃવંદના, આંગણવાડી કેન્‍દ્ર, રાષ્‍ટ્રીય પોષણ અભિયાન, પૂર્ણા, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્‍વ, કુપોષણ મુકત ગુજરાત, બાલ સખા, બાળ સંજીવની, ચિંરજીવી, મા કાર્ડ/મા વાત્‍સલ્‍ય/ આયુષ્‍માન ભારત, જનની સુરક્ષા, યોજનાઓનો લાભ ઘર બેઠાં મળી રહે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવશે. વ્‍હાલી દીકરી જેવી યોજના હેઠળ બાળકો, કિશોરીઓ અને સગર્ભા માતાઓની સંભાળ, વનરેબલ પોપ્‍યુલેશનમાં વરિષ્‍ઠ નાગરિકો, ટી.બી,ડાયાબીટીસ, હાઇપર ટેન્‍શન જેવા રોગથી પીડાતા લોકોની વિશેષ સંભાળ લેવાશે.

યોજનાઓનો લાભ ઘર બેઠાં મળી રહે તેવી વ્‍યવસ્‍થા

જયારે ભાગ -2 માં સામાજિક સુરક્ષા હેઠળ વિધવા સહાય, ઇન્‍દિરાઆવાસ, સંકટ મોચન, નિરાધાર વૃદ્ધ પેન્‍શન, અટલ પેન્‍શન, કુવરબાઇનું મામેરૂ, દિવ્‍યાંગ શિષ્‍યવૃત્તિ/ સાધન સહાય/ ડીસેબીલીટી પેન્‍શન/ સંત સુરદાસ, પી.એમ. કિસાન, કૃષિ યોજનાઓ સહિત તમામ નાગરિકોનું લાભાર્થી યોજનામાં 100 ટકા નામાંકન થાય અને તેમના સુધી લાભ પહોંચે, રાશન કાર્ડની તમામ સેવા, હક્કપત્રમાં વારસાઇ નોંધ, મકાન સહાય જેવી યોજનાઓનો લાભ ઘર બેઠાં મળી રહે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવશે.

સંબંધિત ગામોમાં રથના કાર્યક્રમ અંગે બે દિવસ અગાઉ જાણ કરવામાં આવશે

અટલ-સેવા-શટલ રથ સેવાના લાભ માટે રૂટ નક્કી કરવામાં આવશે. આ રથમાં મેડીકલ સ્‍ટાફ સહિત રેવન્‍યુ તલાટી પણ રહેશે. જે લોકોના લાભાર્થીઓના ફોર્મ ભરી જે તે શાખાને મોકલી આપશે. સંબંધિત ગામોમાં રથના કાર્યક્રમ અંગે બે દિવસ અગાઉ જાણ કરવામાં આવશે. જેથી તલાટી સરપંચ દ્વારા ગામમાં પ્રચાર કરી વધુને વધુ લોકો લાભ લે તેવા પ્રયાસો કરાશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નિવાસી અધિક કલેક્‍ટ એન.એ.રાજપૂત સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Last Updated : Dec 10, 2020, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details