વલસાડ જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કારેલી કોલેજથી રેલી કાઢવામાં આવી હતી. જેમાં વિવિધ સૂત્રોચ્ચાર કરાયા હતા. જો કે, હાલમાં દરેક જિલ્લામાં વાતાવરણ તંગ બન્યું છે, ત્યારે કોઈપણ પોલીસ મથક દ્વારા આવી રેલીઓ યોજવાની પૂર્વે તેની પરવાનગી લેવી જરૂરી બનતી હોય છે. પરંતુ ABVP દ્વારા સમગ્ર બાબતે કોઈને જાણકારી આપવામાં આવી નહોતી કે, આ અંગે પોલીસ વિભાગમાંથી કોઈ પરવાનગી લેવામાં આવી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યો દ્વારા આ રેલી હાલના નવા બનેલા નાગરિકતા સંશોધન એકટના સમર્થનમાં કાઢવામાં આવી હતી. છતાં પણ તેમના દ્વારા અગાઉથી આ રેલી યોજવા અંગે કોઈ પણ પરવાનગી લેવાઈ ન હતી. જેને લઇને જ્યારે આ રેલી પોસ્ટ ઓફિસ સર્કલથી પરત કોલેજ તરફ જઈ રહી હતી. ત્યારે વલસાડ શહેર પી.આઇ દેસાઈ અને તેમની ટીમ આ રેલીને રોકી વર્તમાન સમયની સ્થિતિ અંગે જણાવી એમને સમજાવ્યા હતા.