- વરસાદ શરૂ થતાની સાથે જ અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે
- નદી-નાળા અને નાના ઝરણાઓ વહેતા થતા પર્યટકો આકર્ષાયા
- રવિવારના દિવસે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા
વલસાડ : કોરોનાની ગાઈડલાઈનમાં સરકારે છૂટછાટ આપવાની સાથે જાહેર સ્થળો ખુલ્લા મૂક્યા છે. જેને પગલે હવે દરેક જગ્યા ઉપર લોકો પોતાના પરિવાર સાથે સરળતાથી હરી ફરી શકે છે. આવા સંજોગોમાં હવે વરસાદ શરૂ થતા અનેક લોકો સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિને નિહાળવા ગ્રામ્ય વિસ્તારો તરફ દોડી જાય છે. એમાં પણ ખાસ કરીને સુરતીલાલાઓ મોટી સંખ્યામાં આવા સ્થળોએ ઉમટી પડે છે. જેમાનું એક સ્થળ છે, ધરમપુર ખાતે આવેલું 'વિલ્સન હિલ' જ્યાં શનિ-રવિની રજાઓમાં મોટી સંખ્યામાં સુરતીલાલાઓ ઉમટી પડે છે.