વાપી : વાપી નજીક આવેલાં કુંતા, વટાર, અટકપારડીના સ્થાનિકો અને પરપ્રાંતિય શ્રમિકોને દમણ પ્રશાસન દ્વારા પ્રવેશ ન આપતાં મામલો હવે વલસાડ કલેકટર સુધી પહોંચ્યો છે. આ ત્રણેય ગામોના પંચાયતના હોદેદારો તથા સ્થાનિક લોકોએ શુક્રવારે કલેકટરને લેખિત રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ ત્રણ ગુજરાતના ગામ હોવા છતાં સંઘપ્રદેશ દમણની સરહદથી જોડાયેલા છે.
સંઘપ્રદેશની સરહદથી ઘેરાઈ મુશ્કેલીની સામનો કરતા વલસાડ જિલ્લાના 3 ગામના સરપંચે કરી લેખિત રજૂઆત - વલસાડ કોરોના અપડેટ
વાપી નજીક આવેલાં કુંતા, વટાર, અટકપારડીના સ્થાનિકો અને પરપ્રાંતિય શ્રમિકોને દમણ પ્રશાસન દ્વારા પ્રવેશ ન આપતાં મામલો હવે વલસાડ કલેકટર સુધી પહોંચ્યો છે. આ ત્રણેય ગામોના પંચાયતના હોદેદારો તથા સ્થાનિક લોકોએ શુક્રવારે કલેકટરને લેખિત રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ ત્રણ ગુજરાતના ગામ હોવા છતાં સંઘપ્રદેશ દમણની સરહદથી જોડાયેલા છે.
![સંઘપ્રદેશની સરહદથી ઘેરાઈ મુશ્કેલીની સામનો કરતા વલસાડ જિલ્લાના 3 ગામના સરપંચે કરી લેખિત રજૂઆત Sarpanchs of 3 villages of Valsad district gave an application to collector](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7133929-457-7133929-1589043882490.jpg)
વલસાડ જિલ્લાના અને સંઘપ્રદેશ દમણની સરહદથી ઘેરાયેલા કુંતા, વટાર અને તરકપરડી ગામના લોકો હાલ લોકડાઉનમાં સરહદને લઈને પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યાં છે. તેઓ પોતાના ગામમાંથી બહાર આવાગમન કરી શકે તે વલસાડ કલેકટર અને દમણ પ્રશાસન સમક્ષ રજૂઆતો કરી રહ્યાં છે. ગામના સરપંચો અને ગામલોકો દ્વારા દમણ પ્રશાસન ગુજરાતને અડીને આવેલા ગામોના નોકરિયાત વર્ગને મંજૂરી આપે તેવી માગ કરવામાં આવી હતી.
લોકડાઉનના કારણે આ તમામ લોકોને દમણ પ્રશાસન પ્રવેશ આપતુ નથી. જેથી આ લોકોની હાલત કફોડી છે. આ તમામ લોકોને પ્રવેશ આપવામાં ન આવે તો આ તમામ પરિવારોની હાલત દયનીય બની જશે. રોજીરોટીનો મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે. બંને પ્રશાસનો સંકલન કરીને આ પ્રશ્ન ઉકેલે તેવી માગ કરવામાં આવી હતી.