ગુજરાત

gujarat

ETV Bharat / state

મધુબન ડેમના પાણીમાં દેખાયેલા અવશેષ કોઈ કિલ્લો નહીં પણ થાણું - Tejas Desai

કપરાડા: ગુજરાત અને દાનહમાં પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે, ત્યારે તેનું નિવારણ લાવવા માટે વર્ષ 1972માં મધુબન ડેમ બનાવવામાં આવ્યો હતો. આ ડેમ બનતા ડૂબમાં ગયેલા નગર જેમ કે ફતેહપુર, પીપરોની, વારોલી જંગલ, રાયમાળ તેમજ પેડછા જેવા ગામોની જમીન ડેમના ડૂબ કેચમેન્ટ એરિયામાં ગઈ હતી. જેને લઈને કેટલાક લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યાં હતાં.

મધુબન ડેમના પાણીમાં દેખાયેલા અવશેષ કોઈ કિલ્લો નહીં પણ થાણું

By

Published : Jun 26, 2019, 8:09 PM IST

આજે વર્ષો બાદ મધુબનમાં વરસાદ ખેંચતા પાણી ઓસરી ગયાં હતા. જેથી ડૂબાણમાં ગયેલા કેટલાક અવશેષો બહાર દેખાઈ રહ્યાં છે. જેમાં ધરમપુરના રજવાડી સમયના થાણાંનો એક ગેટનો ભાગ જોવા મળી રહ્યો છે. જેને લોકો મહેલ હોવાનું જણાવી રહ્યાં છે. જો કે, ઐતિહાસકારોના મત મુજબ ધરમપુર સ્ટેટના રાજા અહીં તેમના લશ્કર સાથે શિકાર માટે આવતા હતા અને અહીં રાતવાસો કરવા એક નાનકડું થાણું બનાવ્યું હતું. જેના ગેટનો એક મુખ્ય ભાગ મધુબન ડેમના પાણી ઓસરતા હાલ બહાર દેખાઈ રહ્યો છે.

મધુબન ડેમના પાણીમાં દેખાયેલા અવશેષ કોઈ કિલ્લો નહીં પણ થાણું

વર્ષ 1972માં મધુબન ડેમ બન્યા બાદ ડૂબમાં ગયેલા કેટલાક ગામોમાં 16મી સદીમાં સિસોદીયા વંશના ધરમપુરના રાજા દ્વારા નિર્મિત કરાયેલું થાણું હતું. જે આજે ડેમનું પાણી ઓસરી જતા થાણાના ગેટનો હિસ્સો બહાર આવ્યો છે. જેને જોતા લોકોએ કિલ્લો હોવાની વાત વહેતી કરી છે. જો કે, અહીં એવો કોઈ કિલ્લો છે જ નહીં. અહીં ડેમ નહોતો, ત્યારે રાજા તેના લશ્કર સાથે શિકાર કરવા નીકળતા અને જંગલી પ્રાણીઓના ભયથી ફતેહપુર અને પેડછા વિસ્તારમાં એક થાણું બનાવવામાં આવ્યું હતું. જેનો ઉલ્લેખ આજે પણ ધરમપુર સ્ટેટના કેટલાક ઐતિહાસિક પુસ્તકોમાં મૌજુદ છે.

ઐતિહાસકારોનું માનવું છે કે, હાલ મધુબન ડેમમાંથી પાણી ઓસરી જતા જે અવશેષો જોવા મળ્યા છે એ રાજાના સમયના થાણાંના પ્રવેશદ્વારના અવશેષો છે. જેનું બાંધકામ 16મી સદીમાં ચૂનાના ઉપયોગથી કરવામાં આવ્યું હોઇ શકે છે. આ સાથે જ પાણી ખડકોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જે સિસોદીયા વંશજ રજવાડી સમયમાં ખાસ કરતા હતાં. હાલ તો પ્રથમવાર પાણી ઓસરી જતા આ રજવાડી કહી શકાય એવા અવશેષો બહાર આવ્યાં છે. જેને જોવા માટે તો લોકો ઉમટી રહ્યાં છે.

અત્રે નોંધનીય છે કે, ઐતિહાસકારોનું કહેવું છે કે, પાણીની બહાર જે અવશેષો દેખાયા છે, એ રાજાનો કોઈ મહેલ કે કિલ્લો નથી, પરંતુ વન નાઈટ હોલ્ડ માટે બનાવવામાં આવેલું એક થાણું માત્ર છે.

ABOUT THE AUTHOR

...view details