ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લામાં વધુ 10 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા, 4 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા - Valsad Heath department

વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે કોરોના કેસનો ગ્રાફ ઘટ્યો છે. મંગળવારના રોજ જિલ્લામાં 10 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. 4 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી હતી. ત્યારે, જિલ્લામાં કોરોનાને કારણે એકપણ મૃત્યુ નોંધાયું નથી.

વલસાડ જિલ્લામાં વધુ 10 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા, 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
વલસાડ જિલ્લામાં વધુ 10 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા, 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

By

Published : Aug 4, 2020, 10:46 PM IST

વલસાડ: જિલ્લામાં મંગળવારના રોજ 10 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જેમાં વલસાડના 4 અને વાપી, પારડી, ઉમરગામ તાલુકાના 2-2 દર્દીઓનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલા દર્દીઓમાં 8 પુરુષો અને 2 મહિલાઓ છે. જિલ્લામાં વધુ 4 દર્દીઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સાથે જ જિલ્લામાં એકપણ મૃત્યુ નહિ નોંધાતા આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

વલસાડ જિલ્લામાં કુલ 698 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 414 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. 209 દર્દીઓ કોવિડ હોસ્પિટલમા સારવાર હેઠળ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 8 દર્દી જિલ્લાના અને એક જિલ્લા બહારના દર્દીનું મોત થયું છે. એ જ રીતે કોરોના પોઝિટિવ પણ અન્ય કારણોથી મોત થયેલા જિલ્લાના 67 દર્દી, 2 દર્દી જિલ્લા બહારના મળી કુલ 78 દર્દીઓના મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details