ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડના તિથલ દરિયા કિનારે પોલીસ દ્વારા માઇકથી એનાઉન્સમેન્ટ કરી લોકોને કિનારાથી દૂર રહેવા કરાઈ અપીલ - Cyclone Tauktae Gujarat

આગામી દિવસમાં આવી રહેલા અરબી સમુદ્રમાં તૌકતે વાવાઝોડાની અસરને પગલે તકેદારીના ભાગરૂપે વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર સજ્જ બન્યું છે, ત્યારે દરિયા કિનારાના 84 જેટલાં ગામોને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. જોકે વલસાડ નજીકના આવેલા કાંઠા વિસ્તારના ગામોમાં રહેતા લોકોને દરિયામાં ન જવા તેમજ તિથલના દરિયા કિનારે સહેલાણીઓ ન આવે અને દરિયામાં ન વધે તે માટે તેની તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા પોલીસ વાહનોમાં બેસી એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે.

tauktae cyclone
tauktae cyclone

By

Published : May 16, 2021, 6:36 PM IST

  • દરિયામાં લોકો ન જાય તે માટે પોલીસ વાહન દ્વારા એનાઉન્સમેન્ટ
  • તિથલના દરિયા કિનારે વહેલી સવારે લોકો મોર્નિંગ વોક માટે આવતા હોય છે
  • વાવાઝોડામાં કોઈ જાનહાની ન થાય તેની તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા માઇકથી એનાઉન્સમેન્ટ

વલસાડ : હવામાન વિભાગની આગાહીને પગલે અરબી સમુદ્રમાંથી પસાર થનારું વાવાઝોડીની અસર દક્ષિણ ગુજરાતના વલસાડ ના વિવિધ વિસ્તારોમાં પણ થઈ શકે છે. જેને પગલે તીવ્ર ગતિથી પવન ફૂંકાવવા સાથે ભારે વરસાદ થવો સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. જોકે આ સમય દરમિયાન દરિયા કિનારે કોઈ જાનહાની ન બને તે માટે પોલીસ વિભાગ સજ્જ છે અને તિથલના દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યા છે. જેથી કરીને કોઈ સહેલાણીઓ વાવાઝોડાના સમય દરમિયાન કિનારે ન રહે.

વલસાડના તિથલ દરિયા કિનારે પોલીસ દ્વારા માઇકથી એનાઉન્સમેન્ટ કરાયું

આ પણ વાંચો : તૌકતે વાવાઝોડા બાબતે રાજ્ય સરકારની કેવી છે તૈયારીઓ જુઓ અમારો આ અહેવાલ

પોલીસ વાહન દ્વારા માહિતી એનાઉન્સમેન્ટ કરીને લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે

તિથલના દરિયા કિનારે વહેલી સવારે લોકો મોર્નિંગ વોક પર આવતા હોય છે. તો દરિયા કિનારાની આસપાસના અનેક ગામોમાં પણ લોકો વાવાઝોડાના આગાહીને પગલે દરિયાથી દૂર રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે અને લોકોને તકેદારીના ભાગરૂપે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આજે રવિવારે તિથલના દરિયા કિનારે પોલીસ વાહન દ્વારા માહિતી એનાઉન્સમેન્ટ કરી લોકોને દરિયામાં ન જવા તેમજ દરિયા કિનારાથી દૂર રહેવા માટેની સૂચનો એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી હતી.

પોલીસ દ્વારા માઇકથી એનાઉન્સમેન્ટ

આ પણ વાંચો :ભરૂચમાં તૌકતે વાવાઝોડાને પગલે ભાડભૂત ખાતે 300થી વધુ બોટ લંગારાઇ

હાલ કોરોનાની મહામારીને લઈને તિથલનું પર્યટન સ્થળ જાહેર જનતા માટે બંધ છે

વલસાડ જિલ્લામાં પર્યટન સ્થળ તરીકે જાણીતા બનેલા તિથલનો દરિયા કિનારો બંધ હાલતમાં છે. કોરોનાની મહામારીને લઈને વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતા માટે તિથલનો દરિયા કનારો હાલ બંધ રાખવામાં આવ્યો છે. તેમ છતાં પણ વહેલી સવારે કેટલાક મોર્નિંગ વોક કરનારા લોકો તિથલના દરિયા કિનારે પહોંચી જતા હોય છે. જોકે તેમને અટકાવવા માટે હાલ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા માઇકથી એનાઉન્સમેન્ટ

વલસાડ જિલ્લાના 84 જેટલા ગામોને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે

આમ વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પણ વાવાઝોડાની જાણકારી લોકોને મળે અને લોકો જાગૃત થાય અને દરિયામાં ન ઉતરે તેવા હેતુથી માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરી લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

પોલીસ દ્વારા માઇકથી એનાઉન્સમેન્ટ

ABOUT THE AUTHOR

...view details