ગુજરાત

gujarat

વલસાડ LIC કચેરી ખાતે સરકારના શેરબજારમાં લિસ્ટિંગ કરવાના વિરોધમાં હડતાલ અને દેખાવો

By

Published : Feb 4, 2020, 2:12 PM IST

ભારત સરકારના નાણાપ્રધાને બજેટ રજૂ કરતી વખતે સંસદ સમક્ષ જાહેરાત કરી કે એલ.આઇ.સીનું શેર બજારમાં લિસ્ટિંગ કરવામાં આવશે અને સરકાર પોતાની માલિકીનો અમુક હિસ્સો પબ્લિક ઓફર દ્વારા વેચી દેશે. આ દરખાસ્ત લઈ ઇન્સ્યોરન્સ એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા રોષ જોવા મળ્યો હતો અને તેના વિરોધમાં સમગ્ર દેશમાં આજે દેખાવો કરવામાં આવ્યા હતા જેને અનુલક્ષી વલસાડ શહેરમાં પણ એલ.આઇ.સી કચેરી ખાતે સૌથી વધુ કર્મચારીઓ બપોરે સાડા બારથી દોઢ વાગ્યા સુધી પોતાના કામકાજથી અળગા રહ્યા હતા અને સરકારની આ નીતિ સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

સરકારના શેરબજારમાં લિસ્ટિંગ કરવાના વિરોધમાં હડતાલ અને દેખાવો
સરકારના શેરબજારમાં લિસ્ટિંગ કરવાના વિરોધમાં હડતાલ અને દેખાવો

વલસાડ : શહેરના તિથલ રોડ પર આવેલા એલ.આઇ.સીની બંને કચેરીના 60થી વધુ કર્મચારીઓ બપોરે 12:30 કલાકે કચેરીની બહાર આવી ગયા હતા અને સરકારના શેરબજારમાં લિસ્ટિંગ કરી સરકાર એલઆઈસીમાં રોકેલો પોતાની માલિકીનો અમુક ટકા હિસ્સો પબ્લિક ઓફર દ્વારા વેચી દેશે તે બાબતનો વિરોધ કર્યો હતો અને તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે સરકારના આ નિર્ણયથી એલ.આઇ.સીના કર્મચારીઓને જ નહીં, પરંતુ એજન્ટ અને એલઆઈસીમાં પૈસા રોકનારા પોલીસી ધારકોને પણ તેનાથી નુકસાન થવાની દહેશત છે. જેને લઇને આજે વલસાડ શહેરમાં આવેલી એલ.આઇ.સીની હેડ ઓફિસના ૬૦થી વધુ કર્મચારીઓ એક કલાક સુધી પોતાના કામકાજથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો હતો અને સરકારની નીતિ સામે સુત્રોચ્ચાર કર્યા હતાં.

સરકારના શેરબજારમાં લિસ્ટિંગ કરવાના વિરોધમાં હડતાલ અને દેખાવો
મહત્વનું છે કે ભારત સરકાર એલઆઈસીમાં સો ટકા માલિકીનો હક્ક ધરાવે છે. એલ.આઇ.સી ગૌરવપૂર્ણ રીતે ભારત સરકારને તેના બજેટના લગભગ ૨૫ ટકા જેટલો હિસ્સો પૂરો પાડે છે. એલ.આઇ.સી વીમા ધારકોની ઘરેલુ બચત દેશના વિકાસ અર્થે મૂર્તિનું સર્જન કરે છે અને તે મૂડીનો ઉપયોગ દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યો છે. એલ.આઇ.સીનું માતબર પ્રદાન પંચવર્ષીય યોજનાઓ સામાજિક ક્ષેત્રોમાં ૮૦ ટકા સુધીનું મૂડીરોકાણ જે પાછલા 68 વર્ષથી અવિરત ચાલતું આવ્યું છે. આ તમામ બાબતોને સરકારના આ નિર્ણયને પગલે મોટો ફટકો પડે તેમ છે.સુરત ડિવિઝનલ ઇન્સ્યોરન્સ એમ્પ્લોઇઝ યુનિયનના નેજા હેઠળ વલસાડના ડેવલપમેન્ટ ઓફિસર ફેડરેશન ક્લાસ વન ઓફિસર ફેડરેશનના તમામ સભ્યો આજે વલસાડ કચેરી ખાતે એક કલાકની આ હડતાલમાં જોડાયા હતા અને તેઓએ જણાવ્યું કે આગામી દિવસોમાં પણ જો કોઈ નિર્ણય સરકાર દ્વારા નહીં લેવામાં આવે તો તેમના દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details