- સેલ્ફ ફાયનાન્સ શાળા સંચાલક મંડળની પહેલ
- કોરોનાથી માતા-પિતાની છત્ર છાયા ગુમાવનારા બાળકની ફી માફ કરાશે
- 60 શાળાઓએ લીધો મહત્વનો નિર્ણય
વલસાડઃ જિલ્લામાં 100 જેટલી ફાયનાન્સ સ્કૂલ (schools) માંથી વલસાડ જિલ્લા સેલ્ફ ફાયનાન્સ શાળા સાથે જોડાયેલી 60 શાળાઓના સંચાલકોએ મહત્વનો નિર્ણય લીધો છે. જે નિર્ણય અંતર્ગત corona મહામારી દરમિયાન જે પરિવારમાં માતા-પિતા કે બે માંથી કોઈ એક મૃત્યુને ભેટ્યા હોય તેવા વિદ્યાર્થીઓ (students)ની એક વર્ષની ફી માફ કરવામાં આવશે. અભ્યાસમાં બનતી તમામ મદદ સ્કૂલ તરફથી પુરી પાડવામાં આવશે.
એક વર્ષની ફી મંડળ સાથે જોડાયેલી સંસ્થા માફ કરશે
આ અંગે સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવના મેનેજીંગ ટ્રસ્ટી અને વલસાડ જિલ્લા સેલ્ફ ફાઇનાન્સ સંચાલક મંડળના અધ્યક્ષ પુરાણી કપિલ જીવણદાસજીએ ETV bharat સાથેની વાતચીતમાં વિગતો આપી હતી કે, ગત 17મી જૂને પારડી વલ્લભ આશ્રમ ખાતે સંચાલક મંડળની બેઠક મળી હતી. જેમાં કોરોના(corona) થી માતા-પિતાની છત્ર છાયા ગુમાવનારા બાળકની એક વર્ષની ફી મંડળ સાથે જોડાયેલી સંસ્થા માફ કરશે.
જિલ્લામાં અંદાજીત 100 સેલ્ફ ફાયનાન્સ શાળા
જિલ્લામાં અંદાજીત 100 જેટલી સેલ્ફ ફાયનાન્સ શાળા (Self Finance School)ઓ કાર્યરત છે. જેમાંથી આ મંડળ સાથે 60થી વધુ સ્કૂલ જોડાયી છે. જે તમામ શાળાના સંચાલકોએ આ નિર્ણયને સહર્ષ સ્વીકારી લીધો છે. તે અંગે દરેક શાળામાં એડમિશન માટેની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. કપિલ સ્વામીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ગુરુકુળ (Swaminarayan Gurukul)માં આવી 10થી 12 એપ્લિકેશન આવી છે. અન્ય શાળાઓમાં પણ એપ્લિકેશન આવી રહી છે.