વલસાડઃ શહેરમાં લોકડાઉન શરૂ થતાં જ તમામ ધંધા રોજગારને તેની સીધી અસર થઈ હતી. જેમાં રીક્ષા ચાલકોનો વ્યવસાય પણ બાકાત રહ્યો નથી, જોકે અનલોક 1માં બસોને કેટલાક અંશે છૂટ આપ્યા બાદ અનલોક 2માં રીક્ષા ચાલકોને પેસેન્જર બેસાડવાની નિયમો મુજબ છૂટ આપવામાં આવી હતી. પરંતુ જ્યા રીક્ષામાં 4 પસેન્જરો બેસાડવામાં આવતા હતા એના સ્થાને 2 પસેન્જરો બેસાડી રીક્ષા ચાલકો ભાડુ ચાર પસેન્જરનું વસુલતા હતા. જેની પાછળનું કારણ એ હતું કે, સરકાર દ્વારા માત્ર બે પસેન્જરોનો નિયમ બનાવ્યો હતો.
તો બીજી તરફ પેટ્રોલના ભાવો વધ્યા હતા, બે પસેન્જરો બેસાડી ભાડા કરવા તેમને પોષાય એમ ન હતા, તેથી પસેન્જર ભલે બે બેસાડવામાં આવે પણ ભાડું ચાર પસેન્જરના હિસાબે વસુલ કરવામાં આવતું હતું અને હાલમાં પણ એજ સ્થિતિ છે.
રીક્ષા ચાલકોએ જણાવ્યું કે રીક્ષા તેઓએ લોન દ્વારા ખરીદી હતી, દરેક રીક્ષાના અલગ-અલગ હપ્તા ભરવાના થાય છે. લોકડાઉન થતા તેઓના લોનના હપ્તા 4 માસ સુધી ભરી શક્યા નથી. ઘર ચલાવવા કેટલાક રીક્ષા ચાલકોએ વ્યાજે નાણા લીધા છે. તો કેટલાક લોકોએ સોનુ ગીરવે મુકી હપ્તાની વ્યવસ્થા કરી છે. એવા સમયમાં સરકારે રીક્ષા ચાલકોને છૂટ આપી જો વધુ પસેન્જર બેસાડી ભાડા કરે તો પોલીસ દંડ અને રીક્ષા ડિટેન થઈ જાય અને ઓછા પસેન્જર ભરી ભાડા કરે તો ડીઝલના ભાવ વધતા તે પોષાય એમ નથી.
ભાડાની રકમ તેમના દ્વારા વધારવામાં આવી છે, એક રીક્ષા ચાલક સાંજે માત્ર 1000થી 1200 રૂપિયા કમાઈને જતો હોય છે. કોઈ ભાડાની રીક્ષા હોય તો 500 રૂપિયા રોજના ભાડાવાળાને આપવા પડે છે, ડીઝલના 400 રૂપિયામાં માત્ર 200થી 300 રૂપિયા બચત થાય છે. જેથી ભાડા કરવા પોષાય એમ નથી.