ગુજરાત

gujarat

By

Published : Jul 23, 2020, 11:01 AM IST

ETV Bharat / state

સેવાભાવી દંપતી, વલસાડની હોસ્પિટલ અને રક્તદાન કેન્દ્રમાં નર્સિંગ સ્ટાફને રેઇનકોટનું વિતરણ કર્યું

કોરોનાના કાળ દરમિયાન વિવિધ હોસ્પિટલમાં પોતાના જીવને જોખમમાં મૂકીને દર્દીઓને કોરોના વૉરિયર્સ સારવાર આપી રહ્યા છે. પેરા મેડિકલ સ્ટાફની બહેનોને ચોમાસા દરમિયાન રક્ષણ મળે તે હેતુથી દમણના સેવાભાવી દંપતીએ અનોખું પ્રોત્સાહન આપ્યું છે. વલસાડની કસ્તુરબા હોસ્પિટલ અને વલસાડ રક્તદાન કેન્દ્રમાં 100 થી વધુ રેઇનકોટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

valsad
વલસાડ

સેવાભાવી દંપતી દ્વારા નર્સિંગ સ્ટાફને રેઇનકોટનું વિતરણ

100 થી વધુ રેઇનકોટનું વિતરણ કર્યું

દંપતીની નિઃસ્વાર્થ કામગીરીથી લોકો પ્રભાવિત

વલસાડ : શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વૉરિયર્સ પોતાના જીવને જોખમમાં મુકીને ફરજ બજાવી રહ્યા છે. ત્યારે વલસાડમાં સરકાર હસ્તક સંચાલિત એવા કોરોના વોર્ડમાં ફરજ બજાવતી મહિલા નર્સિંગ સ્ટાફને દમણના જાણીતા સેવાભાવી દંપતી પંકજભાઈ મિસ્ત્રી અને તેમના પત્નીએ નર્સિંગ સ્ટાફને રેઇનકોટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે પંકજભાઈ મિસ્ત્રીએ વલસાડ રક્તદાન કેન્દ્રમાં ફરજ બજાવતા પેરામેડિકલ સ્ટાફને 45 થી વધુ રેઈનકોટ આપ્યા હતા.

સેવાભાવી દંપતી દ્વારા વલસાડની હોસ્પિટલ અને રક્તદાન કેન્દ્રમાં નર્સિંગ સ્ટાફને રેઇનકોટનું વિતરણ
મહત્વનું છે કે, પંકજભાઈ મિસ્ત્રી દમણથી દરરોજ એક રીક્ષામાં વિવિધ ચીજ વસ્તુઓનું નિઃશુલ્ક વિતરણ જરૂરિયાત મંદ લોકોને કરે છે. 73 વર્ષીય પંકજભાઈની નિઃસ્વાર્થ કામગીરીથી દરેક લોકો પ્રભાવિત છે.

આ અંગે પંકજભાઈએ જણાવ્યું હતું કે, સેવાકીય કામગીરીમાં હું નહીં પણ આપણે કામગીરી કરી એવું કહેશું તે વધુ યોગ્ય છે. સેવાકીય કામગીરી કરનારને લોકો હંમેશા મદદ કરે છે. તેમજ તમામ પેરામેડીકલ સ્ટાફને રેઇનકોટ આપવામાં આવ્યા છે, જેથી ચોમાસા દરમ્યાન તેઓને કોઈ મુશ્કેલી ન પડે.

ABOUT THE AUTHOR

...view details